Delhi News : દિલ્હીના એક વકીલે ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઈલ્કેશન કમિશનનો દરવાજો ખકડાવ્યો છે. પત્રમાં વકીલે પર્ધાનમંત્રી પર આગામી લોકસભા ચૂંટણી પહેલા મતદારોને ભાજપને મત આપવાની અપીલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ચૂંટણી કમિશનને લખેલા પત્રમાં વકીલે આરોપ લગાવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીએ હિન્દુ દેવી દેવતાઓ અને પૂજા સ્થલો સાથે સાથે શીખ દેવતાઓ અને પૂજી સ્થળોના નામે મત માંગ્યા હતા. જેનાથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે.
તે પહેલા આસામમાં નગાંવ નિર્વાચન ક્ષેત્રથી કોંગ્રેસના સાંસદ અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર પ્રદ્યુત બોરદોલોઈએ મુખ્યમંત્રી હમંત બિસ્વા સરમા વિરૂધ્ધ ફરિયાદ કરી હતી, જેમાં આરોપ લગાવાયો હતો કે તેમણે હાલના ચૂંટમી અભિયાન દરમિયાન તમામ રાશન કાર્ડધારકોને પૈસાની પેશકશ કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
બોરદોલોઈએ મંગળવારે રાત્રે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં આરોપ લગાવાયો હતો કે સરમાએ દિવસે લખીમપુરમાં એક સાર્વજનિક બેઠકમાં ચૂંટણી બાદ પ્રત્યેક રાશન કાર્ડધારકના બેન્ક ખાતામાં રૂ. 10,000 ટ્રાન્સફર કરવાનો વાયદો કર્યો હતો.
આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી
આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં હાઈકોર્ટમાંથી ના મળી રાહત
આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો