Valsad News: વલસાડમાં હવામાન વિભાગે ચેતવણી આપી છે. વલસાડ વહીવટી તંત્રએ અરબી સમુદ્રમાં હાઈ ટાઈડના પગલે તિથલનો દરિયા કિનારો બંધ કરવાની સૂચના આપી છે. સહેલાણીઓની સલામતીના ભાગરૂપે પગલું ભરવામાં આવ્યું છે.
વલસાડ જીલ્લામાં તિથલના દરિયામાં ભરતી અને પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને કારણે વલસાડ વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી લોકોન્ દરિયા કિનારે જતા અટકાવ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે. 70 કિલોમીટરના દરિયા કિનારા પર વહીવટી અને ડિઝાસ્ટર તંત્રની નજર છે.
દરિયા કિનારા પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. તિથલના દરિયાકાંઠે દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં સરક્યુલેશનના કારણે ભરતી આવવાની શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન
આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
આ પણ વાંચો:સી.આર.પાટીલ: નવસારી મધ્યસ્થ કાર્યાલયથી રેલી નીકળી