Gandhinagar News: મુખ્યમંત્રી વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદ (Gandhinagar, Ahmedabad)માં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના દિપાવલી-નૂતનવર્ષ (Diwali, New Year) નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082 ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન-પ્રદાન કરશે.
મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિર (Panchdev Mandir)ના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.
તેઓ 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિર (Trimandir)માં દર્શન પૂજન માટે જશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8:00 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ 8:50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.
ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે (Bhadrakali Mandir) દર્શનાર્થે પણ જવાના છે.
નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.
