@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
પાટડીના બામણવા ગામે રહેતા રોહિતભાઇ રાઠોડ ના દસ વર્ષના પુત્રનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું આ બનાવથી સમગ્ર પરિવારજનો સહિત સમસ્ત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી પાટડીના બામણવા ગામે પરિવાર સાથે રહેતા રોહિતભાઇ રાઠોડ ના પત્ની અલકાબેન ગામમાં આવેલ તળાવમાં કપડા ધોવા માટે ગયા હતા.
આ પણ વાંચો : 5 મહિનાથી નાકમાં બેટરી લઇને જીવી રહ્યો હતો આ બાળક, ડોકટરોએ આ રીતે બચાવ્યો જીવ
રોહિતભાઇ રાઠોડ ના પુત્ર નાગરાજ ઉંમર વર્ષ 10 જે ધોરણ ચાર માં અભ્યાસ કરે છે તે અલકાબેન તળાવ ઉપર કપડા ધોવા ગયા હતા પાછળ થી તેમનો પુત્ર પણ ત્યાં ગયેલ જેની જાણ અલકાબેન ન હતી. અને તેવા સમયે નાગરાજ નો પગ લપસી ગયો હશે. ત્યારબાદ અલકાબેન ઘરે આવી ને નજર કરતા પુત્ર દેખાયેલ નહિ ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરી. પણ ક્યાંય પતો લાગ્યો નહોતો. પરંતુ તળાવમાંથી નાગરાજનો મૃતદેહ મળી આવતા પરિવાર જનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અને મૃતદેહને તાત્કાલીક સરકારી દવાખાને પી.એમ. માટે મોકલવામાં આવી હતી.