સુરતના અલથાનમાં બનેલી ઘટનામાં 15 દિવસીય પુત્રએ અને એક પુત્રીએ માતાની છત્ર છાયા ગુમાવી હતી. મહિલા ડોકટરનું નામ મુગ્ધા છે અને તેમના પિતા અથાલણ વિસ્તારમાં આવેલી શ્રીરામ રેસીડેન્સીમાં પરિવાર સાથે રહે છે.
મુગ્ધાના લગ્ન 2017માં જયપુરના રહેવાસી મિહિર ડાગા સાથે થયા હતા. જ્યાં તે ડેન્ટીસ્ટ તરીકે ક્લિનિક ચલાવતી હતી. તેમના લગ્નગાળામાં એક દીકરી અને એક દીકરો છે. સાત જાન્યુઆરીના રોજ મુગ્ધાએ દીકરાને જન્મ આપ્યો હતો.
17 જાન્યુઆરીના રોજ મુગ્ધા જયપુરથી સુરત માતા પિતાના ઘરે આવી હતી. છેલ્લા છ દિવસથી મુગ્ધા પિતાના ઘરે દીકરાની સાર સંભાળ રાખી રહી હતી. દરમિયાન આજે સવારે મુગ્ધા ગેલેરિમાં કઈ કામ માટે ગઈ હતી.
દરમિયાન 10માં મળે ઘરની ગેલેરીમાંથી નીચે પટકાઈ ગઈ હતી. મુગ્ધા નીચે પટકાઈ હોવાની જાણ થતાં પરિવારજનો નીચે દોડી ગયા હતા. જોકે મુગ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મુગ્ધા જ્યારે નીચે પટકાઇ ત્યારે પરિવારનું કોઈ સભ્ય તેની સાથે ન હતું. મુગ્ધા કેવી રીતે નીચે પટકાઇ તે અંગે પણ પરિવાર કંઈ જાણતું નથી. હાલ તો પોલીસ લાશ ને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:2024 election/ભાજપને લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક મળશે, જે.પી. નડ્ડાનો દાવો
આ પણ વાંચો:સુરત/ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે 5 વર્ષની બાળકીને લઇ ગયો અને પછી થયું આવું…
આ પણ વાંચો:NMC/NMCએ પાત્રતાનો માપદંડ સુધારતા કટઓફ શૂન્ય થયું