@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના મોટા વરાછા અને ચીકુવાડીને જોડતો નવનિર્મિત ઓવરબ્રિજનો ત્રણ દિવસ પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે આ જ બ્રિજમાં લોકાર્પણના દિવસે જ એક એસટી બસ વણા કે નહિ લઇ શકતા રિવર્સ મારવાની ફરજ પડી હતી. બ્રિજ પર કોઈ પણ પ્રકારના સાઈનબોર્ડ કે ગર્ડરના મુકવાના કારણે આ ઘટના સર્જાઈ હતી મંતવ્ય ન્યૂઝ ચેનલે ચલાવેલા અહેવાલના પગલે તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા ગર્ડરમૂકી દેવામાં આવ્યું હતું.
બ્રિજ સિટી સુરતમાં 121 બ્રિજ બની ચૂક્યા છે ત્યારે સુરતના ચીકુવાડી અને મોટા વરાછાને જોડતા નવનિર્મિત એસટી બસનો વીડિયો વાયરલ થયો હતો એસટી બસ વળાંક નહીં વળી શકતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
મહત્વનું છે કે આ બ્રિજ બન્યો ત્યારે કોઈપણ પ્રકારનું ગર્ડર મૂકવામાં આવ્યું ન હતું.તેમજ કોઈ સાઈન બોર્ડ મુકવામાં આવ્યું ના હતું .જોકે દિવાળીના પગલે એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી.જેમાં એસ ટી બસ નો ડ્રાયવર જૂનાગઢ થી આવ્યો હતો.મને તેને કોઈ પણ માહિતી ના હોવાથી નવા બ્રિજ પર બસ હંકારી હતી.જેથી બસ વળી ના શકતા પાલિકા તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી હતી.
ત્યારે મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા આ મામલે અહેવાલ રજુ કરાયો હતો.જે બાદ તાત્કાલિક પાલિકા તંત્ર ગર્ડર મૂકી ભારે અને લાંબા વાહનો પસાર ના થાય તે બાબતે તકેદારી રાખી રહ્યું છે.
આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ
આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ
આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો