- અમદાવાદ : સરખેજમાં છરીના ઘા મારીને યુવકની હત્યા
- મારી છોકરી જોડે કેમ વાત કરે છે તે મુદ્દે થયો હતો ઝઘડો
- પોલીસે 1 મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ નોંધી ફરિયાદ
Ahmedabad News: અમદાવાદમાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. સતત ચોરી,લુંટ અને હત્યા જેવા બનાવમાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સરખેજમાં હત્યાની ધટના સામે આવી છે. અવારનવાર સાંભળ્યું છે કે, પ્રેમ સંબંધનો અરુણ અંજામ આવ્યો…આ ઘટનામાં પણ આવું જ છે. સરખેજમાં એક યુવક પર એવું કહીને હુમલો કરવામાં આવ્યો હતો કે, તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે…આવું કહીને નરેન્દ્રભાઈ ઉર્ફે કાળું સિંગરોટિયા અને તેનાં પુત્ર નીતિન સિંગરોટિયાએ મિલન ઠાકોર નામના યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી.આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના સરખેજ ગામમાં આવેલ કોઠી વાસમાં 24 વર્ષીય મિલન ઠાકોર રહેતો હતો. સોમવારે રાત્રે મિલને તેના ભાઇ ચિરાગને જણાવ્યું હતું કે, સરખેજ વાલ્મીકિ વાસમાં રહેતા નીતિન સિંગરોટિયાની બહેનને હેરાન ન કરતો હોવા છતાંય હેરાન કેમ કરે છે કહીને ઝઘડો કરીને લાફો માર્યો હતો. એટલુ જ નહીં નીતિન અને તેના પિતા નરેન્દ્રભાઈ ઉશ્કેરાઈ ગયેલા હોવાથી રાત્રે મિલન ઘર નજીકથી પસાર થતા તેને વચ્ચે અટકાવીને મારામારી કરીને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. મિલન લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા લોકો ભેગા થઈ ગયા અને મિલનને સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર દરમિયાન ડોક્ટરે મિલનને મૃત જાહેર કર્યો હતો.
મૃતક મિલનના ભાઈ ચિરાગે સરખેજ પોલીસ સ્ટેશનમાં નીતિન, નરેન્દ્ર ઉર્ફે કાળુ, તારાબેન સિંગરોટિયા અને સગીર મળી કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નીતિન, નરેન્દ્ર અને સગીરની ધરપકડ કરી ફરાર મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત
આ પણ વાંચો:મોરબીના ચકચારી કેસમાં વધુ 6 આરોપીના કોર્ટે રીમાન્ડ મંજૂર
આ પણ વાંચો:સુરતમાં ફાયર વિભાગે 5 હોટલ કરી સીલ, જાણો કેમ કરાઈ કાર્યવાહી
આ પણ વાંચો:ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ બેના મોત, 19 વર્ષના BSF જવાનનું થયું નિધન