સુરત/ માંગરોળમાં દંપત્તીના આપઘાતથી શોકનું મોજુ

સુરતના માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં દંપત્તીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 11T195731.354 માંગરોળમાં દંપત્તીના આપઘાતથી શોકનું મોજુ

@નિકુંજ પટેલ

Surat News: સુરતના માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં દંપત્તીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને પગલે દંપત્તીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. જોકે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ નવાપુરા જીઆઈડીસી ખાતે સુરજ યાદવ તેની પત્ની સુકેતા યાદવ સાથે રહેતો હતો. મુળ આ દંપત્તી ઉત્તરપ્રદેશનું રહેવાસી હોવાનું પોલીસે કહ્યું હતું. દંપત્તીએ સ્વહજ સિન્થેટિક્સ કંપનીમાં આપઘાત કરી લીધો હતો. આ અંગે મિલ માલિકને જાણ થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ કરાતા કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દંપત્તીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે કોસંબા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….