- સારવાર માટે લઈ જતાં મહંતનું મોત
- હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીનું મોત થતા ચકચાર
- હત્યા કેસમાં મહંતની ધરપકડ થઈ હતી
- મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવીલ ખસેડાઈ
થોડા દિવસો અગાઉ કનીજ ગામની સીમમાં આવેલ અઘોરી આશ્રમમાં રાત્રીના સમયે અજાણ્યાં હુમલાખોરોએ આશ્રમની લાઈટો બંધ કરી આશ્રમમાં ખુલ્લા શેડ નીચે સુઈ રહેલા ઈસમો પર લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં એક ઈસમ બહાદુરસિંહ બળવંતસિંહ જાદવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું
કનીજ/ અઘોરી આશ્રમમાં ખુલ્લા શેડ નીચે સુઈ રહેલા ઈસમો પર લાકડીથી હુમલો, ૧ નું મોત
આ કેસમાં આરોપી એવા શખ્સ મહંત માનસિંહ રાઠોડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. મહેમદાવાદ પોલીસ કસ્ટડીમાં આ આરોપીણે સારવાર માટે લઇ જતાં મોત નીપજ્યું છે. હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીનું મોત થતા ચકચાર મચી હતી.
આશ્રમમાં થયેલ હત્યા કેસમાં આ મહંતની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવીલ ખસેડાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.