અમદાવાદ,
હાઇકોર્ટે મોલ મલ્ટીપ્લેકક્ષ સંચાલકોની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટ કહ્યું છે કે મોલ તેમજ મલ્ટીપ્લેક્ષના સત્તાધીશોને પાર્કિગ ચાર્જ વસુલવાની કોઇ પણ પ્રકારની સત્તા આપવામાં આવી નથી.
તેમજ હાઇકોર્ટ આકરૂ વલણ આપતાં કહ્યું કે, જો મલ્ટીપ્લેક્ષના સત્તાધિશો પાર્કિગ ચાર્જ વસૂલવાનું બંધ નહીં કરે તો મોલ બંધ કરવા માટે કોર્ટે હુકમ કરવો પડશે,
તો બીજી તરફ હાઇકોર્ટ અરજદારોને પોતાની કરેલી અરજી સ્વેચ્છાએ પાછી ખેંચે તેવી ટકોરી કરી હતી. વધુમાં હાઇકોર્ટ કહ્યું કે, અરજદારો અરજી પાછી ખેચે તો અરજદારોના હિતમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, મોલ તેમજ મલ્ટી પ્લેક્ષમાં ચાર્જિસ ઉઘરાવવામાં આવતા હતો અરજદારોએ સત્તાધિશો સામે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી, સત્તાધિશોને પાર્કિગ ચાર્જ ઉઘરાવવાની કોઇ સત્તા નથી તેમ જણાવ્યું હતું.