Not Set/ સંજય દત્ત બાદ આ ત્રણ સેલિબ્રિટીઝ પણ થયા કોરોના પોઝિટિવ

ચંદીગઢમાં ફિલ્મ “જુગ-જૂગ જીઓ”નું શૂટિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાનમાં ફિલ્મની ટીમના કેટલાક મેમ્બર્સ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે

Entertainment
bolly સંજય દત્ત બાદ આ ત્રણ સેલિબ્રિટીઝ પણ થયા કોરોના પોઝિટિવ

ચંદીગઢમાં ફિલ્મ “જુગ-જૂગ જીઓ”નું શૂટિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાનમાં ફિલ્મની ટીમના કેટલાક મેમ્બર્સ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે વરુણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર covid – 19ની ઝપેટમાં આવી ગયા છે.

ગુરુવારે સાંજે કોરોનાના ટેસ્ટ રિપોર્ટ થઈ અને આવી ચૂક્યા છે જોકે હજી સુધી આ બાબતની પુષ્ટિ ફિલ્મ કલાકારોમાંથી કોઈ કરી નથી. ફિલ્મ જગત સાથે જોડાયેલા સૂત્રો જણાવી રહ્યા છે કે હાલ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં રજા માણી રહેલો અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો, ત્યારે તેઓ પણ આઈસોલેશન હેઠળ આરામ કરી રહ્યા છે.

ઋષિ કપૂરના નિધન બાદ ‘જુગ જુગ જિયો’ એ નીતુ કપૂર ની પ્રથમ ફિલ્મ છે, 30 એપ્રિલે ઋષિ કપૂર નું નિધન થયું હતું.શૂટિંગ માટે રવાના થતી વખતે નીતુએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને લખ્યું હતું કે “આ મુશ્કેલીના સમયમાં મારી પ્રથમ ફ્લાઇટ, હું આ જર્નીને લઈને ખૂબ જ નર્વસ છું,કપૂર સાહેબ તમે મારો હાથ પકડવા માટે મારી સાથે નથી તે હું જાણું છું પરંતુ તમે મારી સાથે હંમેશા રહેશો.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…