- અમદાવાદ મનપા કમિ.ને રાજ્ય સરકારે કર્યા મુક્ત
- કમિશનર લોચન શહેરાને કર્યા મુક્ત
- કેન્દ્ર સરકારમાં થયેલી બદલીના કારણે કર્યા મુક્ત
- આગામી ઓર્ડર સુધી અમદાવાદ કલેક્ટર કરશે કામ
- કલેક્ટર સંદીપ સાંગલે મનપા કમિશનર તરીકે કરશે કામ
અમદાવાદ મનપા કમિશનર અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ કલેક્ટર સંદિપ સાંગલેને AMC મનપા કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આગામી ઓર્ડર સુધી અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે મનપા કમિશનર તરીકે કામ કરશે.અમદાવાદ મનપા કમિશનર લોચન શહેરાની બદલી કરાઈ હતી. ઈસરોના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં થયેલી બદલીના કારણે રાજ્ય સરકારની જવાબદારી માંથી મુક્ત કર્યા છે.