અમદાવાદના રોડ ઉપર લોકોની સુલભતા માટે ચાલુ કરવામાં આવેલી BRTS બસ અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહી છે. અમદાવાદના ઈશરો પાસે BRTS રૂટમાં દોડી રહેલી બસનું ટાયર અચાનક ફાટ્યું હતું. અને બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની હતી.
ચાલુ બસે અચાનક ટાયર ફાટતાં બસમાં રહેલા મુસાફરોમાં બુમાબુમ મચી ગયી હતી. જેમાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. અકસ્માત બાદ BRTS બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં BRTS બસનું ટાયર ફાટવાની આ બીજી ઘટના સામે આવી છે.
કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક, પ્રશ્નનો હલ લાવશે ખરા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…