અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા નહેરુબ્રિજ રીપેરીંગ કામ ચાલુ હતું જેને લઇને છેલ્લા 45 દિવસથી આ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ બંધ થતાં બંને તરફથી ભારે ટ્રાફિક જોવા મળતો હતો.
છેલ્લા 45 દિવસથી અમદાવાદના નહેરુબ્રિજનું કામ ચાલતું હતુ. જેથી લોકોની અવર જવર પર રોક લગાડી દેવામાં આવી હતી. આ બ્રિજ બંધ થતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા. જો કે, હવે શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળશે. આવતીકાલથી નહેરુબ્રિજ ખુલ્લો મુકવામાં આવશે.
જો કે, બેરિંગ અને અન્ય સમારકામના લીધે નહેરુબ્રિજને બંધ કરાયો હતો. જેમાં નહેરૂબ્રિજના એક્સપાન્શન જોઈન્ટ બદલવા અને બેરિંગ સર્વિસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નહેરૂબ્રિજ 45 દિવસ સુધી બંધ હોવાના કારણે બ્રિજના છેડે લોકોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જેથી અન્ય બ્રિજથી લોકોની અવરજવર વધતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જો કે હવે બ્રિજ શરૂ થઈ જતાં લોકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.