સુરત અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જીલ્લાની અને આસપાસની તમામ નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. ત્યારે માંગરોળ તાલુકાનાં નદી કાંઠામાં આવેલા વેલાછા, લીંબાડાં, શેથી, પાનેઠા, સાવા, પારડી, લુવારા, સિમોદરા, હથોડા, કોસાડી, શાહગામ, વાલેશા, બોરસરા, પાલોડ સિયાલ જ, રણકપોર, આશરમા અને બીજા અન્ય ગામોમાં નદીના પાણી ઘરોમાં ઘુસી ગયા હતાં. NDRF,SDRF સહિતની બચાવ ટીમો દ્વારા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખેડવામાં આવ્યા હતા.
રહેવાની સગવડ અને જમવાની સગવડ તંત્ર દ્વારા કરવામાં.આવી રહી છે. કીમ નદીમાં સતત પાણીની આવકને પગલે માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારે માંગરોળના કેેેટલાક ગામોમાં હેલિકોપ્તર દ્વારા પણ રેસ્કક્યુ કરવામાં આવ્યા હતા.
દરમિયાન પૂરની સ્થિતિ અને લોકોની હાલાકીનો તાગ મેળવવા અને બચત અને રાહત કામોની સમીક્ષા માટે મંત્રી ગણપત વસાવાએ અસરગ્રસ્ત્ ગામોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તંત્ર ને સુચનાા અને લોકોને સલામત સ્થળ પર રેહવાની સલાહ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.