પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સુધારેલા નાગરિકત્વ કાયદાના નિયમો બનાવવાના હજી બાકી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની રસી બન્યા પછી સરકાર તેના પર વધુ વિચારણા કરશે. બંગાળમાં રોડ શો યોજ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં શાહે બંગાળના આગામી મુખ્યપ્રધાન અને સીએએ સહિતના અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરી હતી.
સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) વિશેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, સીએએ માટે હજુ નિયમો બનાવવામાં આવ્યા નથી. કોરોના વાયરસ રોગચાળાને કારણે આવું થઈ શક્યું નથી. રસી આવતાની સાથે જ સરકાર આ અંગે વિચારણા કરશે અને માહિતી આપશે.
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં પણ માહિતી આપી હતી કે, જો રાજ્યમાં ભાજપ જીતે છે, તો પાર્ટી કોને તેના મુખ્ય પ્રધાન જાહેર કરશે. શાહે કહ્યું કે ભાજપ આ રાજ્યમાંથી બંગાળના આગામી મુખ્ય પ્રધાનની રચના કરશે. જોકે, પાર્ટી ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઉતારશે કે નહીં, શાહે કહ્યું હતું કે આ નિર્ણય સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે ભાજપના કાર્યકરોએ નિર્ણય લીધો છે કે અમે હિંસાને લોકશાહી રીતોથી જવાબ આપીશું. અમે આ સરકારને બંગાળની આગામી ચૂંટણીઓમાં હરાવીને બતાવીશું. તેમણે કહ્યું કે, “બંગાળમાં રાજકીય હિંસા ટોચ પર છે. ભાજપના 300 થી વધુ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. ભાજપના કાર્યકરોની હત્યાની તપાસમાં એક ઇંચ પણ પ્રગતિ દેખાતી નથી. વધુમાં તેમને કહ્યું હતું કે આ પ્રકારના હુમલાથી ભાજપની ગતિ અટકશે, ભાજપ કાર્યકર અથવા ભાજપ પાછળનું પગલું લેશે એ ભૂલ ભરેલું છે.
બંગાળની ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી: શાહ
તે જ સમયે, રવિવારે રોડ શોમાં એકત્રિત જનમેદનીથી પ્રેરિત અમિત શાહે કહ્યું કે આજ સુધી તેમણે તેમના રાજકીય જીવનમાં લોકોની આટલી મોટી ભીડ જોઈ નથી, જે આ સંકેત છે કે પશ્ચિમ બંગાળના લોકો પરિવર્તન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…
કામરેજ / સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…