- મોડી રાત્રે ભૂકંપના આંચકો અનુભવાયો
- તાલાલા ગીર સહીત આસપાસના વિસ્તારમાં ભૂકંપ
- 2.9ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આચકો
- તાલાલા ગીરથી નોર્થ ઇસ્ટ 60 કીમી દૂર કેન્દ્રબિંદુ
ગીર સોમનાથના તાલાલા પંથકમાં રવિવારના રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત મુજબ આજે મોડીરાત્રે તલાલા ગીર સહીત આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી નોર્થ ઈસ્ટ ૬૦ કિમી હતું. રીક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો હતો. ભૂકંપને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન