awards/ અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતને આ રીતે કર્યો યાદ, જુઓ આ વીડિયો

અભિનેત્રી અંકિતા લોખંડેએ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ના કો-સ્ટાર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઝી રિશ્તે એવોર્ડ્સ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે પોતાને અર્ચના દેશમુખની જેમ તૈયાર કરી છે અને શોનાં ગીતો પર પરફોર્મ કર્યું હતું.

Entertainment
a 88 અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતને આ રીતે કર્યો યાદ, જુઓ આ વીડિયો

અભિનેત્રી અંકિતા લોખંડેએ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ના કો-સ્ટાર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઝી રિશ્તે એવોર્ડ્સ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે પોતાને અર્ચના દેશમુખની જેમ તૈયાર કરી છે અને શોનાં ગીતો પર પરફોર્મ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બેકગ્રાઉન્ડ ડાન્સર સાથેના પોશાકમાં રિહર્સલનો કહેવામાં આવી રહ્યો છે. અંકિતા ‘પવિત્ર રિશ્તા’ ના ટાઇટલ સોંગ પર ડાન્સ કરતી જોવા મળી છે.

આ પણ વાંચો :જ્હાનવી કપૂરે કર્યો ક્લાસિકલ ડાન્સ, બહેન ખુશી કપૂરનું આવું હતું રીએક્શન

Instagram will load in the frontend.

અંકિતાએ શનિવારે રાત્રે ઝી રિશ્તે એવોર્ડ 2020 માં હાજરી અપાઈ હતી. આ દરમિયાન તે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. તેના અભિનય વિશે તેમણે કહ્યું – ચોક્કસપણે ઝી રિશ્તે એવોર્ડ્સ જુઓ, કારણ કે આ વખતે કંઈક ખાસ છે જે તમારા બધા માટે છે. જેટલા પણ સુશાંત ચાહકો છે તેમના માટે છે. હું જાણું છું કે ઘણા લોકો સુશાંતને ચાહે છે. મારી બાજુ તરફથી આજે તેમના માટે થોડો પ્રયાસ. કૃપા કરીને તેને જોવો અને ઘણા બધા પ્રેમ આપો. ”

આ પણ વાંચો : શહનાઝ ગિલે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકોને પસંદ આવ્યો કુલ લુક

Instagram will load in the frontend.

આશરે એક અઠવાડિયા પહેલા અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રિહર્સલ કરતી જોવા મળી રહી છે. તેણે કેપ્શન લખ્યું હતું કે, “આ સમયે પ્રદર્શન કરવું તે ખૂબ જ અલગ અને મુશ્કેલ છે. મારી તરફથી તમારા માટે. તે ખુબ જ દુખદ છે.”

આપને જણાવી દઈએ કે, અંકિતા અને સુશાંતે એક બીજાને ડેટ કરતા હતા, પરંતુ વર્ષ 2016 માં તેમનું બ્રેકઅપ થયું હતું. અંકિતા હવે વિકી જૈન સાથે છે.

આ પણ વાંચો : ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીએ માથા પર ટિફિન મૂકીને કર્યો બેલી ડાન્સ કરે છે, જુઓ

Instagram will load in the frontend.

સુશાંત સિંહ રાજપૂતે સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી લોકપ્રિયતા મેળવી હતી. તેણે માનવની ભૂમિકા ભજવી હતી. તે 14 જૂન 2020 ના રોજ બાંદ્રાના એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મોતની તપાસ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…