અનુરાગ કશ્યપ તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતો છે. તેઓ દરેક મુદ્દે ખુલ્લેઆમ પોતાની વાત સૌની સામે રાખે છે. આ દિવસોમાં અનુરાગ તેની આગામી ફિલ્મ ‘ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ને લઈને ચર્ચામાં છે. પરંતુ ફિલ્મની ચર્ચાઓ વચ્ચે અનુરાગ કશ્યપે પોતાના વિશે એવો ખુલાસો કર્યો છે, જેને જાણીને બધા ચોંકી ગયા છે.
ડિપ્રેશનમાં હતો અનુરાગ
ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં અનુરાગે જણાવ્યું કે તે ડિપ્રેશનનો સામનો કરી રહ્યો છે. અનુરાગે જણાવ્યું કે લોકડાઉનને કારણે જ્યારે તેની ફિલ્મ ‘ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’નું શૂટિંગ વિલંબમાં આવ્યું અને તેની વેબ સિરીઝ તાંડવ પણ મુશ્કેલીમાં હતી, ત્યારે તે પોતાના જીવનના અંધકારમય તબક્કામાંથી પસાર થઈ ગયો. અનુરાગ કશ્યપે જણાવ્યું કે આ વાત પછી તે પોતાને એક શેલમાં અનુભવતો હતો. બાદમાં તેને ત્રણ વખત રિહેબમાં પણ જવું પડ્યું હતું. આ દરમિયાન તેમની તબિયત પણ બગડી હતી અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
આ વિશે વાત કરતાં અનુરાગ કશ્યપે કહ્યું- મને સમજાતું નહોતું કે આ બધી બાબતોનો સામનો કેવી રીતે કરવો. ધીમે ધીમે હું મારાં પગલાં પાછળ ખેંચવા લાગ્યો. હું હવે ઠીક છું. હું હજુ પણ ફિલ્મો બનાવી રહ્યો છું. મેં તેને ફરીથી બનાવ્યું. અન્ય લોકોની જેમ મારી પાસે બેસીને રાહ જોવાની લક્ઝરી નથી.
અનુરાગ કશ્યપની પુત્રીને પણ ટ્વિટર પર ખૂબ ટ્રોલ કરવામાં આવી છે, તેની પુત્રી આલિયા કશ્યપને પણ બળાત્કારની ધમકીઓ મળી હતી, ત્યારબાદ અનુરાગની પુત્રીને એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા હતા. આ વિશે વાત કરતાં અનુરાગ કશ્યપે કહ્યું- મેં ટ્વિટર એટલા માટે છોડી દીધું હતું કારણ કે મારી દીકરીને ટ્રોલ કરવામાં આવી રહી હતી, રેપની ધમકી મળી રહી હતી. તેને એંગ્ઝાટી એટેક થવા લાગ્યા. એટલા માટે હું ટ્વિટરથી દૂર થઈ ગયો અને પોર્ટુગલ ગયો. અનુરાગે પાછળથી તેની ફિલ્મ ‘ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’નું શૂટિંગ લંડનમાં કર્યું હતું. જો કે, અનુરાગ કશ્યપે કહ્યું કે આ સમય દરમિયાન અને ફિલ્મ બનાવતી વખતે તેણે તેની પુત્રી સાથે એક નવો બોન્ડ કેળવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતના તમામ જિલ્લાઓમાં Jio Tarue 5G સેવાઓ મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું
આ પણ વાંચો:ભાજપ આવતીકાલે જાહેર કરશે મેનીફેસ્ટો, વચનોની થશે લહાણી!
આ પણ વાંચો:પ્રથમ વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 307 રનનો