ગુજરાત વિધાનસભામાં આઠમા સત્રમાં રજૂ થયેલા 15 જેટલા વિધેયકો પૈકી 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર આપી છે. જેમાં અલગ અલગ હવે એક્ટ તરીકે તેમને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે .
રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ 8 વિધેયકોને રાજયપાલે મંજુરીની મહોર આપી છે .જેમાં નીચે મુજબ ના વિધેયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે .
રાજ્યપાલે મંજુર કરેલા વિધેયકોમાં (1) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021, (2) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021 (3) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, 2021, (4) ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ), (5) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૧, (6) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, 2021, (7) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયક, 2021, (8) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૧નો સમાવેશ થાય છે.