મુંબઇ,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની જુનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશમાં યોજાનાર એશિયા કપ માટે ૧૫ સભ્યોની અંડર-૧૯ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ૨૯ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ એશિયા કપ માટે જુનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી. એશિયા કપ માટે ભારતીય ટીમની કમાન પવન શાહને સોંપવામાં આવી છે. જ્યારે અનુજ રાવત અને પ્રબ સિમરન સિંહના રુપમાં ટીમમાં બે-બે વિકેટકિપર હશે. જો કે પસંદગીકર્તાએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટીમમાં સ્થાન નથી આપ્યું.
પસંદગી સમિતિ અર્જુન તેંડુલકરના શ્રીલંકા ટેસ્ટમાં પ્રદર્શનથી નારાજ જોવા મળી રહ્યા છે, જેથી તેને એશિયા કપમાં સ્થાન અપાયુ નથી. પસંદગીકર્તાઓએ એશિયા કપ ઉપરાંત લખનઉમાં ૧૨ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ ચતુષ્કોણીય વનડે શ્રેણી માટે પણ ઈન્ડિયા-એ અને ઈન્ડિયા-બીની ટીમ જાહેર કરી છે. અર્જુન તેંડુલકરને ઈન્ડિયા-એમાં પણ સ્થાન મળ્યું નથી.
ઢાકા: એશિયા કપ માટે અન્ડર-19ની ટીમ
પવન શાહ (કેપ્ટન), દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત (વિકેટકિપર), પ્રબ સિમરનસિંહ (વિકેટકિપર), યશ રાઠોડ, આયુષ બદૌની, નેહાલ વધેડા, સિદ્ધાર્થ દેસાઈ, હર્ષ ત્યાગી, અજય દેવ ગોડ, યાતિન માંગવાની, મોહિત જાંગડા, સમીર ચૌધરી, રાજેશ મોહંતી