@સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી
- વાંદીયોલના ગ્રામજનો દ્વારા રસ્તા માટે રામધુન કરી અનોખો વિરોધ કરાયો
- છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો બની ચુક્યો છે બિસ્માર
- ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓને લઇ રસ્તો રીપેરીંગ નહિ થતા ગ્રામજનો પરેશાન
અરવલ્લી જીલ્લાના ભિલોડા અને મોડાસા તાલુકાની સરહદોને લઇ રસ્તાની સમસ્યા થી પરેશાન વાંદીયોલ ગામના ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો છે. સ્થાનિકોએ તંત્રની આંખો ખોલવા રામધુન કરી રસ્તો બનાવવાની માંગણી કરી અનોખો વિરોધ કર્યો હતો.
આજે આપને વાત કરી રહ્યા છીએ એક એવી રામધુન વિષે જે કોઈ ભગવાનના મંદિરમાં નથી પરંતુ રસ્તા માટે કરવામાં આવી રહી છે. ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓમાં વહેચાયેલા ગામોના વિકાસથી વંચિત લોકો આ રામધુન દ્વારા અનોખો વિરોધ કરી તંત્રની આખો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા વાંદીયોલ ગ્રામ પંચાયતની કે જ્યાં વાંદીયોલ અને બ્રહ્મપુરી એમ બંને ગામોના ૪૦૦૦ લોકો વસવાટ કરે છે આ લોકોને કોઈપણ ખરીદી કે મેડીકલ જેવા કોઈ પણ કામ માટે નજીકમાં મોડાસા તાલુકાના ટીંટોઈ વેપારી મથક હોવાના નાતે અવર જવર કરવી પડે છે ત્યારે વાંદીયોલ થી બ્રહ્મપુરી થઇ ટીંટોઈ જતો ૫ કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાંય સમયથી બિસ્માર બની જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
રોડમાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે જેને લઇ અકસ્માતો પણ સર્જાય છે આ રસ્તો રીપેરીંગ કરવા સરપંચ દ્વારા રજુઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં રસ્તો રીપેરીંગ કરવામાં નહિ આવતા આજે લોકોએ આ રોડ ઉપર રસ્તા માટે રામધુન બોલાવી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર મામલે આર એન્ડ બી વિભાગના એક્ક્ષિક્યુતિવ ઇજનેરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ રસ્તો આર એન્ડ બી સ્ટેટ વિભાગ હસ્તકનો હતો જે થોડા સમય પહેલા આરએન્ડબી પંચાયત વિભાગને સોપવામાં આવ્યો છે ત્યારે હવે આ માટે જરૂરી પ્લાન સ્તીમેન્ત બનાવી મંજુરી માટે મોકલી આપવામાં આવશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.