સામાન્ય રીતે આપણે ગુલકંદ (Gulkand) વાળું પાન તો ખાતા હોય છીએ. ગુલાબની પાંખડીમાંથી બનતું ગુલકંદ ફક્ત મીઠાશ જ નથી આપતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. તેને ભોજન બાદ ખાવાથી ઘણાં ફાયદા મળે છે. આવો જાણીએ આ ફાયદાઓ વિશે..
- ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગુલકંદ ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે.
- ગુલકંદ તમારા હાર્ટ બીટને કંટ્રોલ કરે છે.
- આ સાથે જ આંતરડાના ઘાવને પણ દૂર કરે છે.
- ગરમીમાં ગુલકંદનું સેવન તમારા શરીર માટે ઘણું ફાયદાકારક છે.
- ગુલાબમાં લૈક્સેટિવ અને ડયુરેટિક ગુણ હોય છે. જે તમારા મેટાબોલિઝ્મને વધારે છે.
- જો તમારું મેટાબોલિઝ્મ વધે છે તો તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
- પ્રેગ્નેન્સી દરમિયાન જો કબજિયાતની તકલીફ રહેતી હોય તો ગુલકંદનું સેવન કરો.
- આ સાથે જ ગુલકંદનું સેવન તમારા ચહેરા પર પણ ગ્લો પણ કરે છે.
- સનસ્ટ્રોકથી તમારે ચહેરાને પણ બચાવે છે.
- ઉનાળાની ઋતુને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઉનાળામાં ગુલકંદ ઘણું ફાયદાકારક છે. જે તમારા શરીરને ઠંડુ રાખે છે.
- આ સાથે જ તમારા સ્કિનમાં થતી સમસ્યાઓને પણ દૂર કરવામાં સહાયક થાય છે.
- ગુલકંદ ગરમીમાં સ્વાસ્થ્યનો ખજાનો છે.
- ગુલકંદનો ઉપયોગ તમે દૂધ અને પાણી સાથે કરી શકો છો.
- ગુલકંદમાં વિટામિન સી, ઈ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. જો તમે ઘરે ગુલકંદ બનાવવા માંગતા હોય તો આસાનીથી તૈયાર થઇ જાય છે.
આ પણ વાંચો- સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો
આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો
આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?
આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા