ગીરસોમનાથ
ગીરસોમનાથના વેરાવળમાં અટલજીની અસ્થી કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો. સંસક્રૃત યૂનીવર્સીટીથી ત્રીવેણી સંગમ જવા લોકોની રવાના થયા હતા. 8 કીલો મિટરના માર્ગમાં ઠેરઠેર લોકો દ્વારા પૂષ્પાંજલી અર્પણ કરાયા હતા.
અસ્થિ કળશ યાત્રામાં રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી.ફળદુ, બાબુ જમના પટેલ, ભરત પંડ્યા, સાંસદ રાજેશ ચુડાસમા, સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા.
પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ મોરારજી દેસાઈ ઘાટ કે જે વર્ષ 2001 માં સદગત અટલજી ના હસ્તે જ આ ઘાટનો શીલા ન્યાસ થયો હતો.
આ ઘાટ પર 51 સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા શાસ્ત્રોત વેદ મંત્રોચાર સાથે અટલજીના અસ્થિ ત્રિવેણી સંગમમાં વિસર્જિત કરાયો હતો.