Not Set/ રાજકોટની હોટલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયાસ,આધારકાર્ડ સાથે ચેંડા કર્યા..

પ્રેમીએ તેના આધાર કાર્ડમાં જન્મ તારીખમાં બદલાવ કરીને હોટલમાં રૂમ લીધો હતો. એટલુ જ નહિ, તેણે પહેલા પ્રેમિકાની હત્યા કરીને બાદમાં પોતે એસિડ પીને આપઘાત કર્યો હતો. 

Top Stories Gujarat
11 3 રાજકોટની હોટલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયાસ,આધારકાર્ડ સાથે ચેંડા કર્યા..

રાજકોટ હોટેલમાં કરાઇ યુવતીની હત્યા
કાલાવડની યુવતીની રાજકોટમાંથી મળી લાશ
ભુજના યુવક સાથે હોટેલમાં રોકાઇ હતી
નોવા બુટીક હોટેલમાંથી મળી યુવતી લાશ
યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ
સુરત બાદ રાજકોટની ઘટનાથી હડકંપ
રૂમ નં. 301માં યુવતીની હત્યા કરી યુવકે પીધુ એસિડ
યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
રાજકોટના કરણપરા વિસ્તારની ઘટના
યુવકે યુવતીની હત્યા કરતા પહેલા પરિવારને કર્યો ફોન
યુવતીએ માતા પાસે માંગી હતી મદદ
મદદ માંગી છતાં યુવકી કરી યુવતીની હત્યા
સવારથી નોવા હોટલમાં રોકાયા હતા યુવક-યુવતી
સમગ્ર મામલે SP જી.એસ ગેડમનું નિવેદન
યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું તારણ
યુવતી-યુવક સવારે 9 વાગ્યે હોટેલમાં આવ્યા હતા
યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી
હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ
યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યાઃ ACP
ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ

રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જોશી નામની યુવતીનું મોત થયુ હતું.  માધાપરના જેનિશ નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ સક્રીય થઇ હતી. કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રેમિકા સગીર હોવાનુ સામે આવ્યુ છે. પ્રેમીએ તેના આધાર કાર્ડમાં જન્મ તારીખમાં બદલાવ કરીને હોટલમાં રૂમ લીધો હતો. એટલુ જ નહિ, તેણે પહેલા પ્રેમિકાની હત્યા કરીને બાદમાં પોતે એસિડ પીને આપઘાત કર્યો હતો.

રાજકોટના કરણસિંહજી રોડ પર હોટલ નોવામાં આ બનાવ બન્યો હતો. હોટલના રૂમ નંબર 301 માંથી કાલાવડની 19 વર્ષીય ધ્રુવા જોશી નામની યુવતીની લાશ મળી છે. તો કચ્છ ભુજના માધાપરનો જેનીશ દેવાયતકા ગંભીર હાલતમાં હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, રૂમ નંબર 301માં ધ્રુવા જોશીની હત્યા કરી જેનીશ દેવાયતકાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનીશે યુવતીને ગળામાં ટાઈ બાંધી ગળાફાંસો આપી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે.

ગઈકાલે સવારથી જ ધ્રુવા અને જેનીશ હોટલમાં રોકાયા હતા. જોકે, ધ્રુવા જોશી સગીર હોવાનુ ખુલ્યુ છે. હોટેલમાં રૂમ રાખવા માટે જેનીશે સગીરા ધ્રુવાના અધારકાર્ડમાં છેડછાડ કરી હતી. ઓરીજીનલ આધાર કાર્ડમાં ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હોટેલ સંચાલકોએ યોગ્ય પુરાવાઓ વગર રૂમ આપતા સવાલો ઉઠ્યા છે. ધ્રુવાની હત્યા કરીને જેનીશે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવક જેનીશ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીએ કહ્યું કે, ગઈકાલે સવારથી જ ધ્રુવાનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવની હત્યા કરી નાંખી અને હું પણ આપઘાત કરું છું તેવુ કહ્યું હતું. તેણે કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.