PCOS એ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિ છે. આ સમસ્યા ટીનેજર્સથી લઈને મોટી ઉંમરની મહિલાઓમાં પણ જોવા મળે છે. આ સ્થિતિમાં, હોર્મોનલ અસંતુલન, અનિયમિત માસિક સ્રાવ, ઇન્સ્યુલિન સંવેદનશીલતા જેવા લક્ષણો જોવા મળે છે. આ સમસ્યા સામે લડવા માટે એલોપેથિક દવાઓની સાથે આયુર્વેદિક વસ્તુઓ પણ તેને નિયંત્રિત કરી શકે છે. લગભગ 49 આયુર્વેદિક જડીબુટ્ટીઓ ઓળખવામાં આવી છે જે PCOS માં મદદ કરી શકે છે. આ આયુર્વેદિક વસ્તુઓને ડાયટમાં સામેલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. એ પહેલા જડીબુટ્ટીઓ શું છે? આ પણ જાણી લો.
કંચનાર (બૌહિનિયા વેરીગાટા)
કંચનાર કફ અને પિત્તમાં અસંતુલન દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાની વિકૃતિઓ, થાઇરોઇડ અને ઘા જેવી વિવિધ સ્થિતિઓ પર કામ કરે છે. આ ઔષધિના સૂકા ફૂલો સફેદ સ્રાવ, ઉધરસ અને PCOSમાં મદદરૂપ થાય છે.
અશોક (સારકા ઇન્ડિકા)
અશોક પણ અન્ય ઔષધિ છે, જેનો ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે ઘણી સમસ્યાઓના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તે કડવી અને ઠંડી છે. તે રક્તસ્રાવ અને પ્રાઇવેટ પાર્ટની વિકૃતિઓ સાથે પીસીઓએસમાં પણ ફાયદાકારક છે.
ચિત્રક
પતંજલિના જણાવ્યા મુજબ, ચિત્રકના છોડ, પાંદડા અને મૂળનો ઉપયોગ કફ ઘટાડવા, વજન નિયંત્રિત કરવા, પાચનમાં સુધારો કરવા અને ચયાપચય વધારવા સહિતની સંખ્યાબંધ બિમારીઓ માટે થાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે નબળી ચયાપચય પીસીઓએસનું મુખ્ય લક્ષણ છે અને ચિત્રક દવા આમાં ઉપયોગી થઈ શકે છે.
શિલાજીત
ભારતીય જડીબુટ્ટીઓની વાત કરવામાં આવે તો શિલાજીત સૌથી વધુ સાંભળેલા નામોમાંનું એક છે. તેના ગુણોના કારણે તેનો ઉપયોગ કફ, ચરબી, ખાંડ, કિડનીની પથરી, પેશાબની સમસ્યા, અસ્થમા, એનિમિયા, વાઈ, સોજો, ચામડીના રોગો જેવી સમસ્યાઓમાં થાય છે. તે PCOS ઘટાડી શકે છે.
હળદર
હળદરમાં એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. તેમાં કર્ક્યુમિન નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જે PCOSમાં વજન વધારવામાં અને પીરિયડ્સની નિયમિતતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો:Newer covid variants EG.5/નવા કોવિડ વેરિઅન્ટ્સ EG.5 વિશે જાણો આ બાબતો
આ પણ વાંચો:Weight Loss Tips/ વેઇટ લોસ અને ફેટ લોસ વચ્ચે શું છે તફાવત? વજન ઘટાડવાનાં પ્રયાસમાં કયાંક તમે તો નથી કરી રહ્યાને આ ભૂલ ?
આ પણ વાંચો:Neem Benefits/સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી થાય છે ફાયદા, શરીર પણ રહે છે સ્વસ્થ