Bad news for Cricket: તમામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીઓ આજે એટલે કે નવેમ્બર 15 ખેલાડીઓને જાળવી રાખવા અથવા તો છોડવાની જાહેરાત કરશે. ફ્રેન્ચાઈઝીની યાદી બહાર આવે તે પહેલા જ એક દિગ્ગજ ખેલાડીએ મોટી જાહેરાત કરી છે. આ ખેલાડીએ IPLમાંથી અચાનક નિવૃત્તિ લઈ લીધી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના મોટા મેચ વિનર છે.
2010થી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો રહેલા કિરોન પોલાર્ડે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ અનુભવી ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને છોડી શકે છે, પરંતુ તેણે આ મોટો નિર્ણય પહેલા જ લઈ લીધો છે. કિરોન પોલાર્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે આ પોસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે લખ્યું, ‘આ સરળ નિર્ણય નહોતો કારણ કે હું થોડા વધુ વર્ષ રમવા માંગુ છું, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચર્ચા કર્યા બાદ મેં મારી આઈપીએલ કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને બદલાવની જરૂર છે. જો હું હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં રમી શકું તો હું મારી જાતને મુંબઈ સામે રમતા જોઈ શકતો નથી. હું કાયમ મુંબઈ ઈન્ડિયન્સનો રહીશ.
જણાવી દઈએ કે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને પણ 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોલાર્ડે શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. કિરોન પોલાર્ડે IPL 2022ની 11 મેચોમાં 144 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. ટીમને પોલાર્ડના ખરાબ ફોર્મની કિંમત હારીને ચૂકવવી પડી હતી. આ કારણે કેપ્ટન રોહિત શર્માએ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. કિરોન પોલાર્ડ IPLમાં કુલ 189 મેચ રમ્યો છે. આ મેચોમાં તેણે 28.67ની એવરેજ અને 147.32ની સ્ટ્રાઈક રેટથી 3412 રન બનાવ્યા હતા. કિરોન પોલાર્ડે પણ મેચોમાં 8.79ની ઈકોનોમી સાથે 69 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Gujarat Election 2022/ અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પેડલ રીક્ષામાં જઈને ભર્યુ ફોર્મ