બારડોલી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત દરમિયાન સરદારની કર્મભૂમી બારડોલી ખાતેથી એક્તાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામે-ગામ પ્રસરાવવામાં આવશે,
દેશની એકતા અને અખંડિતતાનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમાનાં નિર્માણ દ્વારા સરદાર સાહેબને ભાવાંજલિ આપવામાં આવશે. સીએમ રૂપાણીએ બારડોલી ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસ સ્થાનની પણ મુલાકાત લીધી હતી.