Not Set/ ઘરમાં દીકરીનો જન્મ થતા જામ્યો ખુશીનો માહોલ, સ્ટોલ લગાવીને બધાને ફ્રીમાં જમાડી પાણીપુરી

ભોપાલમાં એક પાણીપુરી વાળાએ દીકરીઓને બોજો માનનારાઓને ખુબ જ સારો સંદેશ આપ્યો છે. તેણે પુત્રીના જન્મની ખુશીમાં લોકોને દિવસભર મફત પાણીપુરી…

India
દીકરીનો જન્મ

છોકરીઓને કોઈ પ્રેમ કરતું નથી. જ્યારે ઘરે છોકરાનો જન્મ થાય છે, ત્યારે ઉજવણી કરવામાં આવે છે. બાળકીના જન્મ પર કોઈ કંઈ કરતું નથી અને ઊલટાનું આખું ઘર નારાજ થઈ જાય છે. કેટલીક વખત તો લોકો ડોક્ટર પાસે તપાસ કરાવીને ગર્ભમાં બાળકીની હત્યા કરી નાખે છે. પરંતુ આજે અમે તમને જે જાણવા જી રહ્યા છીએ તે આના કરતા સાવ ઉલટું છે. જી હા, ભોપાલમાં એક પાણીપુરી વાળાએ દીકરીઓને બોજો માનનારાઓને ખુબ જ સારો સંદેશ આપ્યો છે. તેણે પુત્રીના જન્મની ખુશીમાં લોકોને દિવસભર મફત પાણીપુરી ખવડાવીને નમાવી છે.

આ પણ વાંચો :ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ MLA ભાજપમાં જોડાયા

કોલર રોડ પર રહેતી અંચલ ગુપ્તાના ઘરે દીકરીનો જન્મ 17 ઓગસ્ટના રોજ થયો હતો. તેઓએ તેનું નામ ‘અનોખી’ રાખ્યું છે. તેની પહેલા તેનો બે વર્ષનો પુત્ર પણ છે. દીકરીના જન્મ પહેલા જ તેણે વિચાર્યું હતું કે તેને દીકરી થશે ટો તેની ખૂબ જ અનોખી રીતે ઉજવશે. આ સાથે, તે એ સંદેશ પણ આપવા માંગતી હતી કે જીવનમાં દીકરીથી મોટી કોઈ ખુશી નથી.

અંચલ ગુપ્તા 14 વર્ષથી પાણીપુરીની દુકાન ચલાવે છે, પરંતુ આજે અંચલ ગુપ્તાએ તેની દુકાનમાં દિવસભર મફતમાં પાણીપુરી ખવડાવી હતી. આપને જણાવી દઈએ કે, અંચલ ગુપ્તા દીકરીના જન્મ માટે માનતા માની હતી અને હવે જ્યારે તેની માનતા પૂરી થઈ ત્યારે દીકરીનો જન્મ થવા પર તેની ખુશીની કોઈ સીમા નહોતી.

a 155 ઘરમાં દીકરીનો જન્મ થતા જામ્યો ખુશીનો માહોલ, સ્ટોલ લગાવીને બધાને ફ્રીમાં જમાડી પાણીપુરી

આ પણ વાંચો :બારામુલ્લા જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા એક નું મોત તો ઘણા લાપતા થયા

આ ખુશીમાં તેણે પોતાની દુકાનની બહાર તંબુ લગાવ્યો અને નક્કી કર્યું કે રવિવારે જે પણ તેની દુકાનમાં આવશે તેને વિનામૂલ્યે પાણીપુરી ખવડાવવામાં આવશે. રવિવારે, અંચલ ગુપ્તાએ બપોરે 1 થી સાંજના 6 વાગ્યા સુધી દુકાનમાં આવતા તમામ ગ્રાહકોને મફત પાણીપુરી ખવડાવી હતી.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનો કટાક્ષ – ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?

આ પણ વાંચો :રામવિલાસ પાસવાનની પ્રથમ પુણ્યતિથિ પર PM મોદીનો ભાવુક પત્ર, પુત્ર ચિરાગે કહ્યું – તમારા આશીર્વાદ…