મોદી સરકારે સોનાનાં આભૂષણોને લઇને એક મોટો નિર્ણય લીધો છે. 15 જાન્યુઆરી 2021 થી સોનાનાં આભૂષણોની હોલમાર્કિંગ ફરજિયાત રહેશે. ગ્રાહક બાબતોનાં મંત્રી રામ વિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરી હતી કે 15 જાન્યુઆરી, 2021 થી દેશભરમાં સોનાનાં દાગીના અને કલાકૃતિઓની હોલમાર્કિંગ ફરજિયાત રહેશે. આ માટે ઝવેરીઓને એક વર્ષનો સમય આપવામાં આવશે. હોલમાર્કિંગ ફરજિયાત થતાં, ગ્રાહકોને શુદ્ધ સોનું મળશે. હાલમાં સોનાનાં ઝવેરાત પર હોલમાર્કિંગ વૈકલ્પિક છે.
બીઆઈએસ હોલમાર્કિંગ એ સોનાની શુદ્ધતાને અધિકૃત કરવાની સિસ્ટમ છે. બીઆઈએસનું આ નિશાન પ્રમાણિત કરે છે કે રત્ન ભારતીય ધોરણોનાં બ્યુરોનાં સ્ટાન્ડર્ડ પર ખરુ ઉતર્યુ છે. તેથી, સોનું ખરીદતા પહેલા ખાતરી કરો કે ઝવેરાત એ બીઆઈએસ હોલમાર્ક છે. જો સોના ઘરેણાં પર હોલમાર્ક છે તો તેનો અર્થ એ કે તેની શુદ્ધતા પ્રમાણિત છે.
હાલમાં, દેશમાં 800 જેટલા હોલમાર્કિંગ સેન્ટર્સ છે અને માત્ર 40 ટકા જ્વેલરી હોલમાર્ક કરવામાં આવે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ) દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર નિશાન હોય છે. બીઆઈએસ વેબસાઇટ અનુસાર, દેશની આ એકમાત્ર એજન્સી છે કે જેને સોનાનાં આભૂષણોનાં હોલમાર્કિંગ માટે સરકારની મંજૂરી મળી છે. બીઆઈએસ અનુસાર, હોલમાર્કિંગ હાલમાં ત્રણ સ્તર 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ માટે કરવામાં આવે છે. વેચનારની ઓળખ દાગીના પર પણ લખેલી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.