IND & Pak Cricket: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ નજમ સેઠીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે ભારત સાથે ક્રિકેટ સંબંધોની વાત આવે ત્યારે તેઓ સરકારની સલાહ પર કામ કરશે. રમીઝ રાજાને બુધવારે PCB અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને આગામી ચાર મહિના માટે પાકિસ્તાનમાં ક્રિકેટ ચલાવવા માટે નજમ સેઠીની આગેવાની હેઠળની 14 સભ્યોની પેનલની નિમણૂક કરવામાં આવી છે. નજમ સેઠીએ લાહોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય અને અન્ય ક્રિકેટ સંબંધોની વાત આવે છે, ત્યારે બંને દેશોની સરકારો સાથે ચર્ચા કરવામાં આવશે. ભારતે 2008ના એશિયા કપ પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી અને તે જ વર્ષે 26 નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં 2009ની શરૂઆતમાં યોજાનારી દ્વિપક્ષીય શ્રેણી પણ રદ કરવામાં આવી હતી.
પાકિસ્તાને 2012માં છ મેચની સફેદ બોલની શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો, પરંતુ છેલ્લા 10 વર્ષમાં કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ રમાઈ નથી. બંને ટીમો માત્ર વિવિધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ટૂર્નામેન્ટમાં જ સામસામે આવી છે.
નજમ સેઠીએ 2013 અને 2018 વચ્ચે બોર્ડના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી હતી, પરંતુ 2018માં ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવ્યા બાદ રાજીનામું આપ્યું હતું. જૂના મેનેજમેન્ટે ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે, જેનાથી સેઠી નાખુશ છે. નજમ સેઠીએ કહ્યું કે, ‘મને ખબર નથી કે ટીમમાં ફેરફારની જરૂર છે કે નહીં, અમે જોઈશું કે નવા વિચારોની જરૂર છે કે નહીં. ટીમની જાહેરાત ન કરાઈ હોત તો સારું થાત.
આ પણ વાંચો: Project Zorawar/ચીન સાથેના તણાવ વચ્ચે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને મંજૂરી,મળશે લાઇટ-ટેન્ક