રાજકોટ/ પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત, સુસાઇડ નોટ વાંચીને તમે પણ રડી પડશો…

દિપાલી અને સુનિલને પ્રેમસબંધ હતો ત્યારબાદ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો.આમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો.

Gujarat Rajkot
સુસાઇડ નોટ
  • રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત
  • યુવતીએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
  • પોલીસને રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ
  • સુનિલ કુકડીયાના ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ

રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.પોલીસને રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુનિલ કુકડીયા નામનો શખ્શ ત્રાસ આપતો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસને રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ મળી આવી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી રાજુભાઈ પરમાર(ઉ.વ.25) નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.તપાસ કરતા દિપાલીબેનના માતા પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા.ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો.દિપાલીબેન બે ભાઈ બે બહેનમાં બીજા નંબરના હતા.તેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.

બનાવ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,દિપાલી અને સુનિલને પ્રેમસબંધ હતો ત્યારબાદ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો.આમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો.આ બનાવમાં દીપાલીના પિતા રાજુભાઈ પરમારની ફરિયાદ પરથી તેનાજ વિસ્તારમાં રહેતા સુનિલ રસિકભાઈ કુકડીયા(પ્રજાપતિ)સામે ફરિયાદ નોંધાવતા કલમ 306 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

a 41 2 પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત, સુસાઇડ નોટ વાંચીને તમે પણ રડી પડશો...

સમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો હતો તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.

ચર્ચાતી વાતો મુજબ એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનીલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:એલોન મસ્ક રેન્ડમ સેમ્પલિંગની કરી જાહેરાત, નકલી ફોલોઅર્સની ખુલશે પોલ  

આ પણ વાંચો:ભાજપની ચૂંટણી તૈયારી : કોંગ્રેસ બાદ હવે યોજાશે ભાજપની ચિંતન શિબિર

આ પણ વાંચો:એરફોર્સના ત્રણ અધિકારીઓને આજીવન કેદ, 27 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં CBI કોર્ટનો ચુકાદો

આ પણ વાંચો:જીલ્લામા શિક્ષણ અધીકારીની અનોખી પહેલ ઘોરણ12માં પ્રથમ ત્રણ આવેલી દીકરીઓના ઘરે જઈને આપ્યા અભિનંદન