મહુવામાં નેશનલ હાઈવે પર માલણ નદી પરનો બ્રિજ ખુબજ જર્જરીત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જો આ બ્રિજનું તાત્કાલીક સમારકામ હાથ નહીં ધરાય તો ગમે ઘડીએ મોટી દુર્ઘટના ઘટી શકે છે. તંત્ર આ પુલનું સમારકામ 10 માસમાં થઇ જશે તેમ જણાવી રહ્યું છે. પરંતુ દસ માસ સુધી આ પુલ ટકી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે.
- મહુવામાં માલણ નદી પર આવ્યો છે પુલ
- ગમે તે ઘડીએ ધરાશાયી થઇ શકે છે પુલ
- મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ ?
મહુવામાં માલણ નદી પર આવેલો નવપુલ અત્યંત જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રિજના નીચેના ભાગે સળીયા દેખાઇ રહ્યા છે. બ્રિજનો એક ભાગ ગમે તે ઘડીએ ધરાશાયી થઇ શકે તેમ છે. દિવસ દરમ્યાન આ બ્રિજ પરથી અનેક ઓવરલોડેડ વાહનો પસાર થાય છે. જેને કારણે મોટી દુર્ઘટના ઘટવાનું જોખમ રહેલું છે.
અમદાવાદ, મુંબઇ કે સુરત જતા વાહનો આ બ્રિજ પરથી જ પસાર થાય છે. તંત્રએ આ પુલનું સમારકામ 10 માસમાં પૂર્ણ કરાશે તેવું આશ્વાસન આપ્યું છે. પરંતુ સવાલ એ છે કે દસ માસ સુધી આ પુલ ટકી શકશે કે કેમ ?
આ બ્રિજને જો તાત્કાલિક વધુ નુકસાન થાય તો ડાયવર્ઝન ન હોવાથી મોટી સમસ્યા સર્જાઇ શકે છે. તંત્ર આ પુલના વિકલ્પ રૂપે ડાયવર્ઝન તૈયાર કરી. તાત્કાલીક ધોરણે આ પુલનું સમારકામ તૈયાર કરે તો મોટી દુર્ઘટનાની સંભાવનાને ટાળી શકાશે.
વાયરલ વીડિયો / આ વૃદ્ધ મહિલા ખાય છે રોજ અડધો કિલો રેતી, કારણ જાણીને થઈ જશો હેરાન
Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?
ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે
ફરી કુદરતના ખોળે / વિશિષ્ટ પક્ષી ચટકી માખીમાર, આવો જાણીએ આ સતરંગી પક્ષી વિષે વિગતે …