જમ્મુ,
રમઝાનના પવિત્ર માસમાં ભારત તરફથી શાંતિના સંકેતો આપ્યા બાદ પણ કાશ્મીરમાં ત્રાસવાદીઓ શાંત નથી બેસતા અને પાકિસ્તાન તરફથી પણ ઉશ્કેરણીજનક ગોળીબાર ચાલુ થયો હતો. આ ગોળીબારમાં એક બીએસએફ જવાન સહિત 5 ભારતીયોના મોત નીપજ્યા બાદ બીએસએફ દ્વારા પણ જવાબી ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યુ છે.
મળતા અહેવાલ પ્રમાણે, પશ્ચિમી સીમા પર તૈનાત બીએસએફની ટુકડીએ આંતરરાષ્ટ્રિય સીમા પર એક પાકિસ્તાની બંકરને ઉડાવી દીધુ છે. જેનો વીડિયો પણ બીએસએફ દ્વારા બહાર પડાયો છે. ઉત્તરી કાશ્મીરમાં પણ ભારતીય સુરક્ષા બળોએ 3 પાકિસ્તાની ઘૂસણખોરોને મારી હટાવ્યા છે.
જુઓ વીડીયો