Gujarat News: રાજ્યમાં આજે સાંજથી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થશે. મતદાનના 48 કલાક પહેલા પ્રચાર શાંત થઈ જશે.
લોકશાહીનો પર્વ એવો ચૂંટણીનો તહેવાર ચાલી રહ્યો છે. આજે સાંજથી ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો જાહેરમાં પ્રચાર પ્રસાર કરી શકશે નહિં. આજે સાંજે 6 વાગ્યાથી લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો માટે જાહેરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહિં. ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હવે જાહેરમાં પ્રસાર કરી શકશે નહિં. સુરત બેઠક પર ભાજપે બિનહરીફ સીટ જીતી લીધી છે. ગુજરાતમાં 7મી મેએ સવારના 7 થી 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે.
આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત
આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ
આ પણ વાંચો: PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ
આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી