ભારતની શાન પ્રખર અને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને શાસ્ત્રીય ગાયકીના સરતાજ પદ્મવિભૂષણ પંડિત જસરાજનું 90 વર્ષની ઉંમરે અમેરિકા ખાતે નિધન થયાનાં દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત જસરાજ ઉંમર સહજ માંદગીને લીધે છેલ્લા ઘણા સમયથી પથારીવશ હતા. પદ્મવિભૂષણ પંડિત જસરાજનું હાર્ટએટેકના કારણે તેમનું અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, પંડિત ભીમસેન જોશી પછી જસરાજ જ એવા શાસ્ત્રીય ગાયક હતા, જે સંગીતના દરેક સ્તરના ચાહકોમાં ભારે લોકપ્રિય હતા. પદ્મવિભૂષણ પંડિત જસરાજનાં અવસાન સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતનાં એક સુવર્ણકાળનો આંત આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….