કોરોનાવાયરસનાં કહેરને લઇને છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોનું ઘરની બહાર નિકળવાનું બંધ હતુ. ઘરમાં બેઠા-બેઠા લોકો હવે ખૂબ કંટાળી ગયા છે. બીજી તરફ હવે તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ વેકેશનમાં બહારગામ જવા માટે લોકો ઓનલાઇન અને ઓફલાઇન ટ્રેનની ટિકીટ બુક કરાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ રેલ્વે તંત્ર દ્વારા ઓનલાઇન ટ્રેનનાં અને ઓફલાઈન ટ્રેનનાં બુકીંગ શરુ કરી દેવામાં આવેલ છે, જેમા વેકેશનનો સમયગાળો હોવાથી આ બુકીંગમાં ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ ફરજીયાતની સાથે લોકો ટ્રેનનાં બુકીંગ માટે આવી રહયા છે, ત્યારે કોરોના દરમિયાન રેલ્વે તંત્રને પડી રહેલ ખોટ હાલ તો લોકોનાં જે બુકીંગ માટેનાં ધસારા છે તેના પરથી રિકવરી મેળવી શકાશે તેવી શક્યતા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.