Gujarat/ સતત બે દિવસથી વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈ કાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે

Top Stories Gujarat Others
જૂનાગઢમાં કમોસમી વરસાદ.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈ કાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

આજે સવારે સુરત વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. સુરતના અઠવાલાઇન્સ, પારલે પોઇન્ટ,પીપલોદ, પાલ, અડાજણ,યુનિવર્સિટી રોડ સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ આવ્યો હતો. વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદને લઈ શાકભાજી અને કેરીના પાકને ભારે નુકસાનની ભિતી સેવાઇ રહી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત. નવસારી શહેર જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા. કેરી, લીંબુ, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. પવન સાથે વરસાદ આવતા મહદંશે ગરમીનો પારો ગગડયો.

જુનાગઢ અને વડોદરામાં વાતાવરણમાં મોડી રાત્રે આવ્યો હતો અચાનક પલટો. અનેક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. જૂનાગઢના ભવનાથમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભવનાથ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલથી ઠંડક પ્રસરી ગઈ હતી. તો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો:બહુચર્ચિત ગ્રિષ્મા હત્યા કેસ : ફેનિલ 302 સહિતની કલમોમાં દોષિત જાહેર