ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આવતી કાલે 2 નવેમ્બર શુક્રવારે સવારેે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાતના પ્રવાસે આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમની સાથે આ મુલાકાતમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાનો ગઈકાલે લોકાર્પણ કર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવી રહ્યા છે.
તેમની સાથે ઉત્તર પ્રદેશ ના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર પરિસરની મુલાકાતમાં જોડાવાના છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ને લખનૌ જઈને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આપેલા નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાતનું આયોજન કર્યું છે.