કચ્છ/ BSFની તમામ ચોકીઓ પર સંચાર સુવિધા પૂરી પાડવામાં આવશે : દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ BSFની તમામ ચોકીઓ પર સંચાર સુવિધા પુરી પાડવામાં આવશે

Gujarat Others
સંચાર કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ

આજરોજ મંગળવાર ના દિવસે કલેકટર કચેરી ભુજ ખાતે કેન્દ્રિય સંચાર વિભાગ અને સુરક્ષાદળોના અધિકારીઓની સંચાર સુવિધા બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં સરહદ વિસ્તારના ગામો તેમજ પ્રવાસન સ્થળો કે જયાં ઓછું કે સાવ સંચાર નેટવર્ક મળતું નથી તેવા ગામોને પ્રાથમિકતા આપવા માટે યોજાયેલી બેઠકમાં કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ કચ્છની ઉત્તર ગુજરાત સુધીની સરહદી વિસ્તારો પર આવેલ (બી.એસ.એફ.) સીમા સુરક્ષા દળની તમામ ચોકીઓ પર સંચાર સુવિધા પુરી પાડવામાં આવશે.

આ બેઠકમાં સંચાર સુવિધાઓ પૂરી પાડવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોસ્ટગાર્ડ, એરફોર્સ જેવાં સુરક્ષાદળની સંચાર સુવિધા પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. આ અંગે એક જોઇન્ટ કમિટિનું ગઠન થશે. જે સરહદી વિસ્તારોની મુલાકાત લઇ ઉપલબ્ધ સંચાર સ્થિતિનું નિરીક્ષણ કરી પરિણામ આધારિત તત્કાળ સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમલીકરણના પગલાં ભરશે.

આ બેઠકમાં બી.એસ.એફ.ના  એસ.કે.શ્રીવાસ્તવ, એરફોર્સના અધિકારી મિસ સ્વાતીબેન, કોસ્ટગાર્ડના બ્રહમદત્ત અને કલેકટર કચેરીના પી.આર.ઓ. નિરવભાઇ બ્રહમભટૃ, ટેલિકોમ વિભાગના ઉપમહાનિર્દેશક આશિષ ઠાકર, સહાયક મહાનિર્દેશક વિક્રમ ચાવડા, બી.એસ.એફ.ના એ.જી.એમ.શ્રી વાય.એચ.ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.

Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો

જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે

આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ

Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?