Amreli News/ અમરેલી:જાફરાબાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતા 1વ્યકિતનું મોત

અમરેલીમાં મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજયું. મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં અન્ય લોકોને પણ ગંભીર ઇજા પંહોચી હતી.

Gujarat Top Stories
Beginners guide to 2024 03 26T142037.440 અમરેલી:જાફરાબાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતા 1વ્યકિતનું મોત

અમરેલીમાં મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજયું. મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં અન્ય લોકોને પણ ગંભીર ઇજા પંહોચી હતી. આ ઘટનામાં ત્રણથી વધુ લોકોને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જાફરાબાદમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ. જાફરાબાદના એક મકાનમાં આધેડ ચા પિતા હતા ત્યારે મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોતન નિપજયુ છે. જ્યારે અન્ય લોકોને પણ ગંભીર ઇજાઓ પંહોચી છે. મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે ફાયર ફાયટરની ટિમ અને પોલીસ ઘટનાસ્થળે તુરંત પંહોચી ગઈ હતી. જે મકાન ધરાશાયી થયું તે SBI બેન્કનું મકાન છે. જે જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવે છે. મકાનની દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોનું ટોળું જમા થઈ ગયું હતું. અને ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં ફાયર ટીમને મદદ કરી રહ્યા હતા. દીવાલનો કાટમાળ પડતા જેસીબી મશીન દ્વારા તેને દૂર કરવામાં આવ્યો હતો. સંભવત અયોગ્ય સ્થિતિના કારણે જ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. પોલીસે  SBI બેન્કના મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં  વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર