રાફેલ વિવાદ/ અડધી રાત્રે CBIના ડાયરેકટર આલોક વર્માને કેમ હટાવવામાં આવ્યા? રાફેલ મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર

મોદી સરકારે એ જ રાફેલ ફાઇટર પ્લેન (કોઈપણ ટેન્ડર વિના) ₹1670 કરોડમાં ખરીદ્યું હતું અને ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કર્યા વિના 36 જેટની કિંમતમાં તફાવત લગભગ ₹41,205 કરોડનો છે.

Top Stories India
રાફેલ વિવાદ

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ રાફેલ ડીલ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે,  રાફેલ  મામલે મોદી સરકાર દ્વારા “ઓપરેશન કવરઅપ” ચાલી રહ્યું છે. સમગ્ર મામલાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 2018 માં આ જ કેસને દબાવવા માટે સીબીઆઈમાં  તખ્તો પલટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સવાલ પૂછ્યો હતો કે, અડધી રાત્રે સત્તા પરિવર્તન કેમ કરવામાં આવ્યું? 36 મહિના પછી આ કેસ સામે કેમ આવ્યો? 11 ઓક્ટોબર, 2018 ના રોડ મોરેશિયસ સરકારે એટોર્ની જનરલ દ્વારા રાફેલ ખરીદી સાથે જોડાયેલા કમીશનની ચૂકવણીના દસ્તાવેજ CBI ને આપ્યા હતા. 23 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી સમિતિએ રાતોરાત CBI ડાયરેક્ટર આલોક વર્માની બદલી કરી હતી, જે રાફેલ ગોટાળાને દબાવવા માટેની કોશિશ કરવામાં આવી હતી.

રાફેલ કૌભાંડમાં  ₹60-₹80 કરોડના કમિશનની ચુકવણી કરવામાં નથી. આ સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે અને માત્ર સ્વતંત્ર તપાસ જ આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળ છે. કોંગ્રેસ- UPA સરકારે આંતરરાષ્ટ્રીય ટેન્ડર પછી રૂ. 526.10 કરોડમાં ટેકનોલોજી ટ્રાન્સફર સહિત રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ડીલ કરી હતી. મોદી સરકારે એ જ રાફેલ ફાઇટર પ્લેન (કોઈપણ ટેન્ડર વિના) ₹1670 કરોડમાં ખરીદ્યું હતું અને ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કર્યા વિના 36 જેટની કિંમતમાં તફાવત લગભગ ₹41,205 કરોડનો છે. શું મોદી સરકાર જવાબ આપશે કે, અમે ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર વિના સમાન 36 એરક્રાફ્ટ માટે ₹41,205 કરોડ વધારાના કેમ ચૂકવીએ છીએ? કોણે કમાણી કરી અને કેટલી લાંચ આપી? જ્યારે 126 એરક્રાફ્ટ માટે લાઈવ ઈન્ટરનેશનલ ટેન્ડર હતું ત્યારે પીએમ કેવી રીતે એકપક્ષીય રીતે 36 એરક્રાફ્ટ ‘ઓફ ધ શેલ્ફ’ ખરીદી શકે?

આ ચાર સવાલ પૂછવા જરૂરી છે

  • તેમણે ભારતીય વાયુસેનાની સલાહ લીધા વિના કેવી રીતે અને શા માટે રાફેલ વિમાનોની સંખ્યા 126 થી ઘટાડીને 36 કરી?
  • શા માટે તેણે ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો અને HAL દ્વારા રાફેલનું ઉત્પાદન કરવાનો ઇનકાર કર્યો?
  • તેમણે શા માટે ભ્રષ્ટાચાર વિરોધી કલમ રદ કરી જે સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા મુજબ કોઈપણ ટેન્ડર માટે પૂર્વ-જરૂરી છે અને યુપીએ દ્વારા રજૂ કરાયેલ ટેન્ડરનો ભાગ હતો?
  • તેમણે રાફેલ કૌભાંડમાં તેમની ભૂમિકાની તપાસનો આદેશ ન આપીને સુશેન ગુપ્તાને કેમ રક્ષણ આપ્યું?

સોમવારે પણ કોંગ્રેસ પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર બેવડા ધોરણો અપનાવવાનો અને ભ્રષ્ટાચારના મુદ્દે દેશને ભ્રમમાં રાખવાનો આરોપ લગાવ્યો. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લદાભે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીએમે ઈટાલીની કંપની અગસ્તા વેસ્ટલેન્ડ વિશે કહ્યું હતું કે તે ભ્રષ્ટ કંપની છે. જે બાદ મોદી સરકારે આ કંપનીને મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભાગ લેવાની મંજૂરી આપી હતી. હવે મોદી સરકારે આ કંપની પરથી તમામ પ્રતિબંધો હટાવી દીધા છે.

કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું, ‘PM મોદી હમણાં જ ઈટાલી ગયા હતા. એક બેઠકમાં અગસ્તા વેસ્ટલેન્ડ કંપની અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અજીત ડોભાલ અને વિદેશ મંત્રી જયશંકર પણ હાજર રહ્યા હતા. પીએમના ભારત આગમન પછી તરત જ આ કંપની પરના તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા.