વિશ્વભર કોરોનાના સંકજામાં સપડાયુ છે. રોજ નવા નવા કેસો અને મૃત્યુઆંક સામે આવી રહ્યા છે. કોરોના વિશે રોજબરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે એક કોરોના બાબતે એક નવી હકીકત સામે આવી છે. જો તમે એન્ટિજેન અને આરટી-પીસીઆર કોરોના પરિક્ષણમાં નેગેટીવ છો તો પણ તમે કોરોના સંક્રમિત હોઇ શકો છો.
દર્દીઓએ કોરોના ઇંફેક્શન એન્ટિજેન અને આરટી-પીસીઆર રીપોર્ટ કરાવ્યો હતો. અને તેઓ નેગેટીવ આવ્યા
વડોદરા શહેરની એક ઘટનાની વાત કરીએ તો દર્દીઓના ફેફસા અસરગ્રસ્ત જોવા મળ્યા છે. જેની જાણ ડોક્ટરને થઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે દર્દીઓએ કોરોના ઇંફેક્શન એન્ટિજેન અને આરટી-પીસીઆર રીપોર્ટ કરાવ્યો હતો. અને તેઓ નેગેટીવ આવ્યા.
આવી સમસ્યાઓના કારણે લોકોમાં વધુ ડર જોવા મળે છે. સામાન્ય લક્ષણ જોવા મળે તો દર્દી તેની સારવાર અર્થે પણ જાય
વડોદરા શહેરમાં કોરોનાની સમસ્યા જટીલ બની ગઇ છે. લોકો કોરોનાના લક્ષણને પણ બરોબર રીતે ઓળખી શકતા નથી. તેમ છતા પણ તેઓ પોઝીટીવ હોય છે. આવી સમસ્યાઓના કારણે લોકોમાં વધુ ડર જોવા મળે છે. સામાન્ય લક્ષણ જોવા મળે તો દર્દી તેની સારવાર અર્થે પણ જાય. પરંતુ જ્યારે દર્દીમાં કોઇ લક્ષણ જ જોવાના મળે અને છતા પણ તે પોઝીટીવ હોય તો કેવી રીતે દર્દી જાણી શકે. આ સમસ્યાના કારણે આજે વડોદરાવાસીઓ ભયના માહોલમાં આવી ગયા છે.