Civil Hospital-organ donation/ દયાબહેનનું અંતિમદાન : અંગદાન, અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 118મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 118મું અંગદાન થયું છે.  ભાવનગરના વતની દયાબહેનનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં અંગદાન કરવામાં આવ્યું છે.

Ahmedabad Gujarat
Civil Hospital Organ donation દયાબહેનનું અંતિમદાન : અંગદાન, અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 118મું અંગદાન
  • ભાવનગર જિલ્લાના મહુવાના વતની દયાબહેન ચુડાસમાને માર્ગ અકસ્માત નડતાં બ્રેઇનડેડ થયાં
  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતાં પરિજનોએ અંગદાન કર્યું
  • બે કિડની અને એક લીવરનું દાન : ત્રણને મળ્યું સ્વસ્થ નવજીવન
  • એક બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન અન્ય જરૂરિયાતમંદના જીવનની બીજી ઇનિંગ્સની શરૂઆત કરાવે છેઃસિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 118મું Organ Donation અંગદાન થયું છે.  ભાવનગરના વતની દયાબહેનનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં અંગદાન કરવામાં આવ્યું છે. ભાવનગરના મહુવા ખાતે રહેતા દયાબહેન ચુડાસમાને છ જુલાઈએ માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં 35 વર્ષીય દયાબહેનને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ. તેમની સ્થિતિ ગંભીર બનતા બહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી હતી. સિવિલના તબીબોએ સતત સધન સારવાર છતાં પણ તેમનો જીવ બચાવી ન શક્યા 48 કલાકની સઘન સારવારના અંતે સિવિલના તબીબોએ દયાબહેનને Organ Donation બ્રેઇનડેડ જાહેર કર્યા.
બ્રેઇનડેડ જાહેર થતાં તબીબો દ્વારા તેઓને પરિજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા.પરિજનોએ પણ અંગદાનનું મહત્ત્વ સમજીને પોતાના સ્વજન અન્યના જીવનમાં ગુંજારવ પાથરી શકે જરૂરિયાતમંદ અને પીડિતનું જીવન કાર્યક્ષમ બનાવી શકે તેવા ઉમદા ભાવ સાથે અંગદાનનો જનહિતકારી નિર્ણય કર્યો.
પરિજનોના નિર્ણય બાદ દયાબહેનને સિવિલ હોસ્પિટલના Organ Donation રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. છથી સાત કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
આમ ત્રણ જરૂરિયાતમંદોનું જીવન આ અંગોના પ્રત્યારોપણ બાદ સ્વાસ્થ્યસભર બનશે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, બ્રેઇન ડેડ વ્યક્તિના પરિજનો દ્વારા કરવામાં આવતો અંગદાનનો નિર્ણય પ્રશંસનીય છે.
એક સમાપ્ત થતું જીવન અન્ય લોકોના જીવનના બીજા ઇનિંગ્સની Organ Donation શરૂઆત કરીને અન્યને નવજીવન આપી જાય તેનાથી ઉમદા કાર્ય સમાજમાં અન્ય કોઈ જ ન હોઈ શકે. અત્યારે સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 118 અંગદાતાઓએ 356 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

 

આ પણ વાંચોઃ ORGAN DONATION/ કાળજા પર પથ્થર મૂકીને પતિના મૃતદેહનું અંગદાન કરી બીજાને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચોઃ કાઠમંડુ/ નેપાળમાં ગુમ થયું હેલિકોપ્ટર, 5 વિદેશી નાગરિકો સહિત 6 લોકો હતા સવાર

આ પણ વાંચોઃ Accident/   ગાઝિયાબાદમાં સ્કૂલ બસ અને TUV કારની ટક્કર, છ લોકોના મોત, બે ઘાયલ

આ પણ વાંચોઃ IT વિભાગની કાર્યવાહી/ રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ

આ પણ વાંચોઃ Himachal Pradesh Flood/ હિમાચલમાં બે અઠવાડિયામાં 72 લોકોના મોત, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ; આખરે આકાશમાંથી  કેમ વરસી રહી છે