બ્રિટનની મહારાણી એલિઝાબેથનું ગુરુવારે અવસાન થયું છે . 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન રાણીના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત શાહી પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા. બે દિવસ પહેલા મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. જ્યારે લિઝ ટ્રસને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેમના મૃત્યુ પર, શાહી પરિવારના ટ્વિટર પરથી કહેવામાં આવ્યું હતું કે રાણીનું આજે બપોરે બાલમોરલમાં નિધન થયું હતું. કિંગ અને ક્વીન કોન્સોર્ટ આજે સાંજે બાલમોરલ ખાતે હશે અને આવતીકાલે લંડન પરત ફરશે.
The Queen died peacefully at Balmoral this afternoon.
The King and The Queen Consort will remain at Balmoral this evening and will return to London tomorrow. pic.twitter.com/VfxpXro22W
— The Royal Family (@RoyalFamily) September 8, 2022
આજની શરૂઆતમાં, બ્રિટિશ રાજવી પરિવારના સભ્યો રાણી એલિઝાબેથ II ની બગડતી તબિયતના અહેવાલો વચ્ચે બાલમોરલ કેસલ પર આવવાનું શરૂ કર્યું હતું. બ્રિટનની સૌથી લાંબી સેવા આપનાર રાણી એલિઝાબેથ દ્વિતીય છેલ્લા કેટલાક સમયથી બાલમોરલ કેસલમાં રહેતા હતા.
એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ, 1926ના રોજ 17 બ્રોટન સેન્ટ, લંડન ખાતે થયો હતો. તેઓએ નેવલ ઓફિસર ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન કર્યા હતા. તેમને ચાર બાળકો છે – પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ. રાણીના પતિ ફિલિપનું એપ્રિલ 2021માં 99 વર્ષની વયે અવસાન થયું હતું. એલિઝાબેથ 1952 માં તેના પિતાના મૃત્યુ પછી સિંહાસન પર બિરાજમાન થયા હતા
રાણી એલિઝાબેથ 15 જેમાં યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, જમૈકા, એન્ટિગુઆ અને બાર્બુડા, બહામાસ, બેલીઝ, ગ્રેનાડા, પાપુઆ ન્યુ ગિની, સોલોમન આઇલેન્ડ, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ અને તુવાલુ તે પ્રદેશોની રાણી રહ્યા હતા.