દિલ્હીના રોહિણી વિસ્તારની 20 મહિનાની દીકરી ધનિષ્ઠાએ તેના મૃત્યુ પછી પણ સમાજ માટે એક મહાન ઉદાહરણ બેસાડ્યું છે અને તે સૌથી નાની વયની કેડવર દાતા બની છે. આ બાળકીએ મૃત્યુ બાદ પાંચ દર્દીઓને નવું જીવન આપ્યું છે સર ગંગારામ હોસ્પિટલે પાંચ દર્દીઓમાં આ નાની બાળકીના હૃદય, યકૃત, બંને કિડની અને બંને કોર્નીયાને દાન કર્યા છે.
8 મી જાન્યુઆરીની સાંજે ધનિષ્ઠા તેના ઘરના પહેલા માળે રમતી વખતે નીચે પડી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક સર ગંગારામ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પરંતુ ડોકટરોના અથાગ પ્રયત્નો છતાં બાળકને બચાવી શકી નહી. 11 જાન્યુઆરીએ, ડોકટરોએ બાળકને મગજ મૃત જાહેર કરી હતી. મગજ સિવાય તેના તમામ અંગો સારી રીતે કાર્ય કરી રહ્યા હતા. હ્રદયસ્પર્શી હોવા છતાં, બાળકીના માતાપિતા બબીતા અને આશિષ કુમારે હોસ્પિટલના અધિકારીઓને તેમની બાળકીના અંગો દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાળકના પિતા આશિષના જણાવ્યા અનુસાર, “અમે ઘણા દર્દીઓ જોયા જેમને હોસ્પિટલમાં હતા ત્યારે અવયવોની તીવ્ર જરૂર હોય છે. તેમ છતાં અમે ધીરજ ગુમાવી દીધી હતી. તેમ છતાં અમે વિચાર્યું હતું કે અંગ દાન દ્વારા તેણીના અંગો માત્ર દર્દીઓમાં જ નહિ જીવે પરંતુ મરણ શૈયા પર પડેલા અન્યને નવું જીવન આપશે.
સર ગંગારામ હોસ્પિટલના અધ્યક્ષ (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડી.એસ. રાણાના જણાવ્યા અનુસાર, “પરિવારનું આ ઉમદા કાર્ય ખરેખર વખાણવા યોગ્ય છે અને તે બીજાને પ્રેરણારૂપ પણ છે. નોંધપાત્ર વાત એ છે કે, પ્રતિ મિલિયન 0.26 ના દરે ભારતમાં અંગ દાનનો સૌથી ઓછો દર છે. દર વર્ષે સરેરાશ 5 લાખ ભારતીય લોકો અંગોના અભાવને કારણે મૃત્યુ પામે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…