નોઇડા,
રાજધાની દિલ્હી સાથે જોડાયેલા નોઇડામાં એક ૩ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યારસુધીમાં ૧ બાળકનું મોત થયું છે, જયારે અન્ય ૪ ઘાયલ થયા છે.
પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, “આ ઘટના નોઇડા સેક્ટર – ૨૦ના પોલીસ ક્ષેત્રના સેક્ટર ૩૧ સ્થિત નિઠારીમાં થઇ છે. આ ઈમારત તોડીને નવી બનાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ બિલ્ડીંગનો એક ભાગ ધરાસાયી થયો હતો”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “જયારે આ બિલ્ડીંગનો એક ભાગ પડ્યો હતો ત્યારે નીચે રમી રહેલા બાળકો એની ઝપેટમાં આવી ગયા હતા”.
આ ઘટનાની જાણ પોલીસ અને NDRFને થયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને રાહત બચાવનું કાર્ય શરુ કર્યું હતું.