ગાંધીનગરઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પાટણ અને સિદ્ધપુરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. સીએમ ભુપેન્દ્ર પટેલ સિદ્ધપુરથી વિકાસ કાર્યક્રમોને લીલી ઝંડી આપશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કુલ 305 કરોડના 145 કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
તેના પછી તેઓ યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. તેમા 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાયની લહાણી કરશે. સિદ્ધપુરમના અરવડેશ્વર મહાદેવ ખાતે બપોરે દોઢ વાગે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે. સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી થશે.
લોકાર્પણ અને ખાતમૂહુર્તના આ કાર્યક્રમોમાં તેમની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કચ્છમાં સીએમ ભુપેન્દ્રપટેલે કુલ એક હજાર કરોડના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કર્યુ હતુ.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ