દર વર્ષે 14 જૂનનો દિવસ ‘વર્લ્ડ બ્લડ ડૉનર ડે’ તરીકે ગણાય છે. લોકોને રક્તદાનનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવાય છે ઘણા લોકો રક્તદાન કરવામાં ગભરાતા પણ હોય છે. તો ઘણાં લોકો રક્તદાન કરતી વખતે ઘણી ભૂલો કરી બેસતા હોય છે
- રક્તદાન કરનારે ભૂખ્યા ન રહેવું જોઈએ
- રક્તદાનના 3 કલાક પહેલા કંઈક ખાઈ લો
- રક્તદાન પહેલા 8 કલાકની પૂરતી ઉંઘ લો
- તે પહેલા 24 કલાક આલ્કોહલનું સેવન ન કરવું
- રક્તદાનના 2 કલાક પહેલાં સુધી ધૂમ્રપાન ન કરવું
- 18થી 65 વર્ષની વય અને 45 કિલો વજન હોવું અનિવાર્ય છે
- ડૉક્ટર દ્રારા અપાયેલા ફોર્મમાં સાચી જાણકારી ભરો
- રક્તદાન પહેલા હિમોગ્લોબિન તપાસ માટે બ્લડ ટેસ્ટ કરાવો
- ડૉનર માટે હિમોગ્લોબિન કાઉન્ટ 12.5g/dl થી વધુ હોવું જોઈએ
- રક્તદાન સમયે મગજ શાંત રાખવું જરૂરી છે
- તે માટે સિરીંજ નવી હોય તેનું ખાસ ધ્યાન રાખો
- માંસપેશીઓને આરામ આપો, પગ ક્રોસ કર્યા વગર આરામથી ઉંઘો
- સ્પંજ બૉલને ધીમે ધીમે દબાવતા રહો અને લોહી જોઈને ગભરાશો નહીં
- રક્તદાન બાદ એકદમથી ઉભા થઈ જવું હાનિકારક છે
- રક્તદાન બાદ 10 મિનિટ સૂઈ રહેવું
- ત્યારબાદ ઉભા થતી વખતે હાથ વાળીને જ રાખશો
- રક્તદાન બાદ જ્યૂસ, શરબત, બિસ્કિટ કે કેળાનું સેવન કરી શકો
- રક્તદાન બાદ ભારે કામ કરવાથી બચો
- પ્રવાહી અને હેલ્ધી ફૂડનું સેવન વધારો
- અન્યને પણ બ્લડ ડોનેટ કરવા પ્રેરણા આપો
આ પણ વાંચો- પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ
આ પણ વાંચો- ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ
આ પણ વાંચો- દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ
આ પણ વાંચો- દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે