ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા તૌકતે વાવાઝોડાને કારણે દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ 17 અને 18 મે ના દિવસે બંધ રાખવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘોઘા રો રો ફેરી સર્વિસને આગામી 17 અને 18 મે દરમિયાન સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવી છે.
તૌકતે વાવાઝોડાની હવામાન વિબાગે આગાહી કરી છે. જેને લઈને તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઘોઘા ખાતે ચાલતી રોપેક્ષ ફેરી સર્વિસને આગામી 17 અને 18 મે દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે તૈાકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આ વાવઝોડાના લીધે અતિ ભારે વરસાદની પણ આગાહી છે. આ વાવઝોડાના લીધે અગમચેતી પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે.